Add

Pradhan Mantri Awas Yojana - EWS || Amdavad Municipal Corporation

અમદાવાદમાં પોતાનું ઘર ન હોય તેવા લોકો માટે સારા સમાચાર, EWSની જાહેરાત બહાર પડી, જાણો કોણ ફોર્મ ભરી શકશે?



Pradhan Mantri Awas Yojana Ahmedabad: અમદાવાદમાં રહેતા અને પોતાનું ઘર ન હોય તેવા લોકો માટે સારા સમાચાર આવી ગયા છે. પ્રધાનમંત્રી આવસ યોજના (શહેરી) અંતર્ગત EWS પ્રકારના આવાસો માટે અરજી મંગાવવાની જાહેરાત બહાર પડાઈ છે.

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત અમદાવાદ શહેરમાં આર્થિક રીતે નબળા કુટુંબો માટે ઈબલ્યુ એસ-2 કેટેગરીમાં નરોડા મુઠીયા, હંસપુરા, ગોતા વિસ્તારમાં 1055 આવાસો બનાવાશે. જો તમે ગુજરાતી જાગરણની વેબસાઈટની મુલાકત ન લીધી હોય તો આજે જ લેજો ત્યાં સમાચાર સાથે રસપ્રદ માહિતીનો ખજાનો છે.

યોજનાની મુખ્ય વિશેષતાઓ શું છે?

  • આકર્ષક એલિવેશન
  • વિટ્રીફાઈડ ટાઈલ્સ
  • મુખ્ય દરવાજામાં બન્ને બાજુએ લેમીનેટેડ ફ્લશ શીટ
  • પાર્કિગ તેમજ અન્ય જરૂરી જગ્યાએ પેવર બ્લોકનું પેવીંગ
  • સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ
  • પરકોલેટીંગ વેલ
  • ભૂકંપ પ્રતિરોધક બાંધકામ
  • સોલાર પેનલ
  • પાવડર કોટેડ એલ્યુમિનિયમ ગ્લાસ સ્લાઈડીંગ વિન્ડોઝ
  • કેમ્પસમાં આરસીસી રસ્તા
  • ગ્રીન બિલ્ડીંગ કન્સેપ્ટ મુજબનું બાંધકામ
  • સ્ટ્રીટ લાઈટ તેમજ પીએનજી કનેક્શન

કોણ ફોર્મ ભરી શકશે?

ઈ.ડબલ્યુ.એસ.-2 મા (35 ચો.મી. થી વધુ અને 40 ચો.મી. થી ઓછા કાર્પેટ એરીયા) આર્થિક રીતે નબળા વર્ગના લોકો કે જેમના કુટુંબની સંયુક્ત વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોય તેઓ ફોર્મ ભરી શકશે. ઈ.ડબલ્યુ.એસ. આવાસો લાભાર્થી ફાળાની રકમ રૂ. 5.50 લાખ અને મેઈન્ટેનન્સની રકમ રૂ. 50 હજાર રહેશે. લાભાર્થીની પસંદગી - કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો પદ્ધતિથી થશે.

ક્યારે અને કેવી રીતે ફોર્મ ભરવું?

અરજીપત્રક તા. 15 માર્ચ 2024થી 13 મે 2024 નિયત કરેલ સમયગાળા દરમિયાન અરજદારોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ www.ahmedabadcity.gov.in
ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. અરજદારોએ માત્ર ઓનલાઈન ફોર્મ ભરી અરજી કરવાની રહેશે.


જાહેરાત :  અહી કલિક કરો

Official Website : Click Here 

Post a Comment

0 Comments